ભારતના બંધારણમાં સ્ત્રીઓનાં અધિકારો
( ભારતના બંધારણ અનુસાર)
(1) અનુચ્છેદ-14 (સમાનતાનો અધિકાર )
ભારતના બંધારણ ના અનુ.14 માં જણાવ્યું છે કે ભારતના તમામ લોકો સમાન છે કોઈ પણ વ્યક્તિ ધર્મ,જાતિ-જ્ઞાતિ કે જન્મ સ્થળ ના આધારે ભેદભાવ કરી શકશે નહીં.આથી આ આર્ટિકલ થી સ્ત્રીઓને પણ સમાન દરજ્જો મળ્યો છે.જેથી તે પણ પુરુષની સમકક્ષ કાર્યો કરી શકે છે અને એમને અટકાવવા એ બંધારણીય અધિકારો વિરુદ્ધ ગણવામાં આવશે.
(2) અનુચ્છેદ- 15(1)
રાજ્ય કોઇ પણ નાગરિક વિરુદ્ધ ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ ,લિંગ અને જન્મસ્થળ ના આધારે ભેદભાવ કરી શકશે નહીં) આ આર્ટિકલમાં ઉપર જણાવ્યા મુજબ કોઈ રાજ્ય સ્ત્રીઓને માત્ર લિંગ ના આધારે ભેદભાવ કરી શકશે નહીં.રાજ્ય આવા નાગરિકો સાથે પુરુષ કે સ્ત્રી તરીકે નહિ પણ સમાન નાગરીક તરીકે વર્તન કરશે, તેમજ સ્ત્રીઓને પણ પુરુષ જેવા સમાન હકો આપવમાં આવશે.
(3) અનુચ્છેદ- 15(3)
રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોની તરફેણમાં કોઇ ખાસ જોગવાઇઓ કરવી ) બંધારણ માં સ્ત્રીઓના વિકાસ માટે અનુ.15(3)માં એવું જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર મહિલા ઓના વિકાસ માટે ખાસ જોગવાઈઓ જેવી કે શિક્ષણ, અનામતો, સ્ત્રી પર બનતા ગુનાઓ કડક બનાવવા, બેટીઓના હકો ના રક્ષણ માટે જોગવાઈ કરશે.
(4) અનુચ્છેદ-16
તમામ નાગરિકો માટે સમાન તક ( રોજગારી અથવા કોઈ પણ નિમણૂક ની બાબતમાં...)
(5) અનુચ્છેદ-39[D]
સમાન કામ સમાન વેતન
(6) અનુચ્છેદ-39 [A]
ન્યાય માટે સમાન તકના ધોરણે અને સુયોગ્ય મફત કાનૂની સહાય અથવા યોજના કે અન્ય કોઈ રીતે તકો મારફતે ન્યાયની ચોક્કસ ખાતરી આપવી જેથી આર્થિક કે બીજી ક્ષમતાઓને કારણે તેઓ ન્યાયથી વંચિત ના રહે.
(7) અનુચ્છેદ-46
રાજ્ય સરકારે નબળાં વર્ગોના લોકોના સામાજિક, આર્થીક અને શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવા તેમજ તેમને શોષણ સામે રક્ષણ આપવું.જેમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.સ્ત્રીઓને શોષણ સામે રક્ષણ તેમજ સમાનતાના ભાવે પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર જોગવાઈ અમલમાં લાવશે.
(8) અનુચ્છેદ-47
રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોના પોષણ અને જીવનધોરણના સ્તરને વધારવા અને સ્વાસ્થ્યને લગતા સુધારા માટે જોગવાઈ કરશે. સ્ત્રીઓના સ્વાસ્થ્યને અને પોષણને વિકસાવવા રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ અમલમાં મુકશે, જેથી સ્ત્રીઓનું જીવન ધોરણનું સ્તર જળવાઈ રહેશે.
(9) અનુચ્છેદ-51 [A](E)
ભારતના તમામ લોકોમાં સંવાદિતા અને સમાન ભાઈચારાઓની ભાવના વિકસાવવી અને મહિલાઓના ગૌરવ માટે અપમાનજનક વ્યવહારો ત્યાગ કરવા અને તેમનું સન્માન કરવું. આ અનુચ્છેદ દ્વારા મહિલાઓનાં ગૌરવને ધ્યાન માં રાખીને તેમના સન્માન અને વ્યવહારો સાથે શિસ્તતા રાખવા જણાવવામાં આવ્યું છે.
(10) અનુચ્છેદ - 243 (D) (3)
પંચાયતોમાં સ્ત્રી બેઠક અનામત અંગે.... દરેક પંચાયતમાં સ્ત્રીઓની બેઠક અનામત રાખવા અંગે બંધારણ માં જોગવાઈ કરવામાં આવી છે ,આવી બેઠક કુલ બેઠક ના 1/3 ( એક તૃતિયાંશ) બેઠકો આરક્ષિત કરવામાં આવશે..આવી બેઠકોમાં અનુ.જાતિ અને અનુ.જનજાતિ ની મહિલાઓ સહિતની મહિલાઓનો સમાવેશ ગણવામાં આવશે.
(11) અનુચ્છેદ 243 T (3)
નગરપાલિકાની ચૂંટણીમાં ભરવાની થતી કુલ બેઠકોમાંથી 1/3 ( એક તૃતિયાંશ) બેઠકો સીધી ચૂંટણીથી ભરવામાં આવે ત્યારે મહિલાઓ માટે બેઠકો આરક્ષિત કરવામાં આવશે ( અનુ.જાતિ અને અનુ.જનજાતિની મહિલાઓ સહિત..)
(12) અનુચ્છેદ 243 T (4)
નગરપંચાયતની અધ્યક્ષતામાં કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવે તો આવી બેઠકો આપી શકે છે, પરંતુ આવી પ્રદાનતા વિધાનસભા કે કેંન્દ્રિય સભા દ્વારા આપવામાં આવેલી હોવી જોઈએ.
બંધારણએ દેશની માળખું છે તેની સાથે સાથે દેશમાં રાજ્યોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પણ જોગવાઈ કરે છે.બાળકો,સ્ત્રીઓ,આર્થિક-સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગના પણ વિકાસ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. બંધારણ રાજ્યને એવો આદેશ આપી શકે છે કે તેવા તમામ નબળાં વર્ગોનો વિકાસ થાય એવી સુવ્યવસ્થિત યોજનાઓ દ્વારા તેમનો વિકાસ કરે. બંધારણ માં સ્ત્રીઓના વિકાસ અને અધિકારોની તમામ જણાવી એ મુજબ ની જોગવાઈ અનુસાર એમના હકો અને અધિકારો સુરક્ષિત કર્યા છે ઘણા વર્ષો પહેલા સ્ત્રીઓ ને પુરુષ સમાન ગણવામાં આવતી નહોતી પણ બંધારણ મુજબ હવે તમામ એક સમાન છે.
- કેલ્વિન પરમાર
કાયદાકીય ક્ષેત્રે માહિતિ મેળવવા comment Box માં comment કરો જેથી તમારી કમેન્ટ્ના આધારે post કરી શકિયે..
જો તમને આ post ગમી હોઇ તો તેને આગળ forward કરવાનું ભુલશો નહિ.
Like કરો, follow કરો, અને share કરો