આજે વિશ્વ માનવ અધિકાર દિવસ ( ૧૦ ડિસેમ્બર)
વિશ્વમાં દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્મની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને આજીવન જે અધિકારોને કોઇપણ જાતની અડચણ કે કોઈ બાધા વગર મુક્ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્મે છે, જીવે છે પરંતુ પોતાનું જીવન ગૌરાવપૂર્ણ અને સન્માનની સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ. સમગ્ર વૈશ્વીક પર જરા નજર કરીએ તો તમામ માનવીઓ અધિકારો સાથે જીવન જીવી રહ્યા છે પરંતુ અમુક માનવ અધિકારો હનનના બનાવો બન્યા જ કરે છે. જેનું મુખ્ય કારણ પોતાના જ અધિકારોની જાણકારીનો અભાવ છે અને અન્યના અધિકારોની અવગણના પણ.
આપણાં ભારતના બંધારણમાં પણ માનવ અધિકારોની વિવિધ જોગવાઈઓ દ્વારા માનવીઓના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે જોગવાઈઓ કરવામા આવી છે..
જેમ કે...
વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિનો અધિકાર ( અનુચ્છેદ ૧૯),
જીવન જીવવાનો અધિકાર ( અનુચ્છેદ ૨૧),
ગેરકાયેસર ધરપકડ સામે રક્ષણ ( અનુચ્છેદ ૨૨)
આવા ઘણા બધા અનુચ્છેદો દ્વારા માનવ અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે.
આથી આવો જાણીએ આપણા અધિકારોની સાચી સમજ અને સમાજમાં અધિકારોની સાચી અને યોગ્ય માહિતી દ્વારા આપણા અધિકારોનું રક્ષણ કરીયે અને શોષિત થતા બચીયે...
- કેલ્વિન પરમાર
જય ભારત
જય સંવિધાન